WEL COME TO ALL
Wel come All Of you For My Blogg.
એક ઘરડો વ્યક્તિ હતો. તેને બે પુત્રીઓ હતી. તેમાંથી એકના લગ્ન કુંભાર સાથે થયાં જ્યારે બીજી પુત્રી એક ખેડૂતની અર્ધાંગિની બની.
એક વખત પિતા પોતાની બન્ને પુત્રીને મળવા માટે તેમના સાસરે ગયો. પ્રથમ પુત્રીને હાલચાલ પુછ્યા તો તેણે કહ્યું અમે ખુબ જ પરિશ્રમ કર્યો છે અને ઘણા માટલા બનાવ્યાં છે. જો વરસાદ નહીં આવે તો અમારો વેપાર ખુબ જ ચાલશે.
પુત્રીએ પિતાને આગ્રહ કર્યો કે, તેઓ પણ ભગવાન પાસે પ્રાર્થના કરે કે, આ વર્ષે વરસાદ ન થાય.
બાદમાં પિતા બીજી પુત્રીને મળવા ગયો જેનો પતિ એક ખેડૂત હતો. તેના હાલચાલ પુછ્યાં તો તેણે કહ્યું કે, આ વખતે અમે ખુબ જ પરિશ્રમ કર્યો છે અને ખેતરમાં ઘણા બીજ રોપ્યાં છે પરંતુ હજુ સુધી વરસાદ થયો નથી. જો સારો વરસાદ થશે તો પાક પણ ખુબ સારો થશે.
બીજી પુત્રીએ પણ પોતાના પિતાને આગ્રહ કર્યો કે, તે ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે, આ વખતે જોરદાર વરસાદ વરસે.
એક પુત્રીનો આગ્રહ હતો કે, પિતા વરસાદ ન થવાની પ્રાર્થના કરે અને બીજી તેનાથી વિપરીત વરસાદ થવાની પ્રાર્થનાનો આગ્રહ કરી રહી હતી. પિતા ખુબ જ મુશ્કેલીમાં પડી ગયો. એક માટે પ્રાર્થના કરે તો બીજીને નુકશાન. સમાધાન કેવી રીતે શોધવું ?
પિતાએ ખુબ જ વિચાર્યું અને પુન: પોતાની પુત્રીઓને મળ્યો. તેને મોટી પુત્રીને સમજાવ્યું કે, જો આ વખતે વરસાદ ન થાય તો તું તારી કમાણીનો અડધો ભાગ તારી નાની બહેનને આપી દેજે અને નાનીને પુત્રીને મળીને એમ સમજાવ્યું કે, જો આ વર્ષે વરસાદ થાય તો તું તારા લાભનો અડધો ભાગ તારી મોટી બહેનને આપી દેજે.
બન્ને બહેનોએ પિતાની વાત હસંતા મોઢે સ્વીકારી ? કહેવાય છે ને દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. બસ તેને શોધતા આવડવું જોઈએ
દુનિયાભરના 95 દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ વર્ષોના અભ્યાસ પછી એક રિપોર્ટ તૈયાર કર્યો. જેમા કહેવામાં આવ્યુ કે દુનિયામાં વધી રહી માનવીય ગતિવિધિયોથી ખાસ કરીને ગરીબ દેશોના આર્થિક અને સામાજિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં જંગલ વિલુપ્ત થઈ રહ્યા છે. જલવાયુ પરિવર્તનને કારણે વધી રહેલ તાપમાન અને પ્રદૂષણતેહે પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યુ છે. જેના કારણે વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે. આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનને શરૂ કર્યો, જેને મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટ નામ આપવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટ તૈયાર કરવામાં 95 દેશોના તેરસોથી વધુ શોધકર્તાઓએ ભાગ લીધો. આ હજુ સુધીની પ્રથમ આટલી મોટી તક છે જેમા આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હોય.
આ દળે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે માનવીય ગતિવિધિયોએ પ્રકૃતિની દુનિયાને એવુ નુકશાન પહોંચાડ્યુ છે જ એની ભરપાઈ નથી કરી શકાતી. લંડનની રોયલ સોસાયટીમાં મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટના નિદેશક ડોક્ટર વોલ્ટર રીઢ કહે છે - ચોક્ક્સ રૂપે આ એક એવો મુદ્દો છે જેના વિશે આપણે સાવધ રહેવુ જરૂરી છે. રિપોર્ટનુ તાત્પર્ય એ છે કે જે પ્રાકૃતિક સંસાધનો પર આપણે નિર્ભર છીએ તેમા 60 ટકા ક્ષીણ થઈ ચૂકી છે. આ ચિંતાજનક વાત છે. જેનાથી પણ વધુ ચિંતાનો વિષય એ છે કે જે કારણોસર આ ક્ષીણ થઈ રહી છે એ સતત વધી પણ રહ્યા છે.